
20 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા આગામી 11 માર્ચ થી શરુ થવા જઈ રહી છે ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો જ્યાં તજજ્ઞો દ્વારા પરીક્ષા ને લઇ કોઈ પણ જાત નો સ્ટ્રેસ ન રાખવા ને પોતાની પૂર્વ તૈયારીઓ સાથે પરીક્ષા આપવા જણાવ્યું હતું એટલુંજ નહિ મોટા ભાગ ના વિદ્યાર્થીઓ ને હવે બોર્ડ ની પરીક્ષા સ્થાનિક સ્થળે જ યોજાવાની હોઈ કોઈએ પણ માનસિક ત્રાસ અનુભવું જોઈએ નહિ પરીક્ષા ના સમય વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવે છે ત્યારે તેમના વાલીઓ ને પણ જાણે પરીક્ષા આવતી હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પોતાના બાળક માટે જતા હોય છે ત્યારે તેવા વાલીઓ ને પણ સાથે ના લાવવા વિદ્યાર્થીઓ ને જણાવ્યું હતું ગત વર્ષે સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓ ને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા જયારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ એ તેમને અભ્યાસ કરાવનાર આચાર્ય સહીત તમામ શિક્ષકગણ નું શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાળકો પણ પોતાના મંતવ્ય રજુ કર્યા હતા કહ્યું હતું કે વિધાર્થીઓ ને પરીક્ષા માં જેટલું આવડે તેટલા થી લખવાની શરૂઆત કરાવી જોઈએ રહી ગયેલા પ્રશ્નો નો જવાબ આપમેળે મળી જશે શૈલેન્દ્રસિંહ રાજપૂત (આચાર્ય,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા)અંબાજી એ જણાવ્યુ હતુ.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.