GUJARATKHERGAMNAVSARI

ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં ઘર અચાનક જમીનદોસ્ત.. ગૃહણીને ઈજા..

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ચીખલી: એક દિવસ પહેલા ચીખલીના રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં એક ઘર અચાનક જમીનદોસ્ત થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. આ ઘર ધીરુભાઈ દાજીભાઈ પટેલનું છે. આ ઘટનામાં ધીરુભાઈના પત્ની મંજુબેન પટેલને માથાના ભાગે ઇજા થવા પામી હતી.મળેલી માહિતી મુજબ રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં ધીરુભાઈ દાજીભાઈ પટેલનું ઘર અચાનક જમીનદોસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ધીરુભાઈના પત્ની મંજુબેન પટેલને માથાના ભાગે ઇજા થવા પામી હતી જેને સારવાર માટે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલમાં મંજુબેનને પ્રાથમિક સારવાર બાદ વલસાડની સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ઘરમાં બાંધેલી બે બકરીમાંથી એકનો પગ ભાગી ગયો હતો અને એકનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ ગ્રામ પંચાયત દ્વારા પંચકયાસ કરી આગળની પ્રક્રિયા હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button