
નાંદોદ તાલુકાના ધમણાચા ગામે નદીમાં નાહવા પડેલા આધેડને મગર ખેંચી ગયો
રાજપીપળા : જુનેદ ખત્રી
નાદોદ તાલુકાના ધમણાચા ગામે એક વ્યક્તિ નદીમાં નાહવા પડતા અચાનક વગેરે ખેંચી લીધા હતા મગરના હુમલાબાદ આ વ્યક્તિનું મોત નીપજ્યું છે
પ્રાપ્ત માહિતી મુજબ મરણજનાર મહેન્દ્રભાઇ કોયજીભાઇ વસાવા ઉ.વ. આ.૪૨ તા.૧૯/૦૭/૨૦૨૩ ના રોજ બપોરના બે એક વાગેના અરસામાં તેઓના ઢોરો ચરાવવા ગયા હતા દરમ્યાન જુના સ્મશાન પાસે કરજણ નદીના કીનારે કપડા કાઢીને ન્હાવા પડતા કરજણ નદીના પાણીમાં દરામાં રહેલા જળચર પ્રાણી મગરે તેઓને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ સવારના છ એક વાગેના અરસામાં શોધખોળ તપાસ કરતા કરજણ નદીના દરામાં ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો આ બાબતે અમલેઠા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
[wptube id="1252022"]






