BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના જન સંપર્ક કાર્યાલયમાં લોક દરબાર યોજાયો

_________________________

સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું સ્થળ પરજ નિરાકરણ

_________________________

પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ કવાંટ ખાતે જન સંપર્ક કાર્યાલયમાં લોક દરબાર યોજ્યો હતો,સ્થાનિક લોકોના પશ્ર્નો આગેવાનોની રજૂઆત અને વિકાસ માટે વિચાર વિમર્શ કર્યો હતો,રજુઆત વેળાએ સ્થળ ઉપરજ લગત તંત્રને સુચના આપી યોગ્ય કરવા જણાવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં કવાંટ તેમજ પાવીજેતપુર તાલુકાના નાગરિકો તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.પાણી, રસ્તા, આરોગ્ય, જમીનની ફાળવણી, સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી, સુજલામ સુફલામ યોજના સહિતની અનેક બાબતોની રજૂઆતોને સ્થળ ઉપર લગત અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરી યોગ્ય પગલા લેવા સુચના આપી હતી. આ તકે વિવિધ વિભાગના અધિકારીઓ,સરપંચો,આગેવાનો,ભાજપા સંગઠનના હોદ્દેદારો,કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે પ્રશ્નોનું નિરાકરણ થયેલ લોકોએ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનો આભાર માન્યો હતો.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button