3 જૂન 2024 વિશ્વ સાયકલ દિવસ પર ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન યોજાયું

3 જૂન 2024 વિશ્વ સાયકલ દિવસ પર ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન યોજાયું
તાહિર મેમણ – આણંદ – 03/06/2024 – 3 જૂન 2024 સોમવાર ના રોજ સવારે 7.00 વાગ્યે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન ડૉ. ગુલાબચંદ પટેલ ગુજરાત, અતિથિ વિશેષ તરીકે શ્રીમાન કે. વી શર્મા સર અંધપ્રદેશ થી ઉપસ્થિત રહ્યા હતા. સરસ્વતી વંદના શ્રીમતી ઉષા દાવડા દ્વારા, મહેમાન પરિચય સંસ્થાના વડા ડૉ. શૈલેષ વાણિયા શૈલે આપ્યો હતો. કુલ 21 કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. સુંદર ડીજીટલ સર્ટિફિકેટ નું વિતરણ સંસ્થાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ કિરણ ચોનકર દિવાની એ કરી હતી. કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, અધપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, બિહાર ગુજરાત વગેરે રાજ્યોના કવિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંચ 511થી ખીચોખીચ ભરેલા હતો. રાષ્ટ્રગીત ફોરમ આર. મહેતાએ 9. 30 વાગ્યે રજૂ કર્યુ હતું. અંત માં ભારત માતા ની જય નાદ સાથે વિદાય લીધી.