GUJARATLUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લા કલેકટર નેહાકુમારીની અધ્યક્ષતામાં Anti-Terrorism Day નિમિત્તે શપથ ગ્રહણ કરાયા

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહિસાગર જિલ્લા કલેકટર નેહાકુમારીની અધ્યક્ષતામાં Anti-Terrorism Day નિમિત્તે શપથ ગ્રહણ કરાયા

Anti-Terrorism Day અંત્ગત દર વર્ષે ૨૧ મે ના રોજ રાજ્યની તમામ કચેરીઓમાં રાષ્ટ્રમાં સામાજિક સદભાવના, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે શપથ ગ્રહણ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે જિલ્લા સેવા સદન મહીસાગર ખાતે જિલ્લા કલેકટર નેહાકુમારીની અધ્યક્ષતામાં Anti-Terrorism Day નિમિત્તે કલેકટર કચેરીના સર્વે અધિકારી અને કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં Anti-Terrorism Day ના ભાગરૂપે આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવ્યા હતા જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીના અધિકારી અને કર્મચારીઓએ પણ શપથ લીધા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button