AMRELI CITY / TALUKOGUJARATRAJULAUncategorized

રાજુલા ધર્મશાળા નો રહેણાક વિસ્તાર નો ભાગ થયો ધરાશાય

યોગેશ કાનાબાર અમરેલી રાજુલા ધર્મશાળા ના રહેણાક મકાન ના ઉપર નો ભાગ થયો ધરાશાય…..

રાજુલા શહેર માં મુખ્ય બજારમાં ધર્મશાળા આવેલી છે આ ધર્મશાળા ના અંદરના ભાગમાં રહેણાક વિસ્તાર આવેલો છે આ રહેણાક વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકોને ભાડે આપવામાં આવતા પરંતુ હાલ આ રહેણાંકના મકાનમાં કોઈ રહેતું ન હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ જાણવા મળતી વિગત મુજબ આ બિલ્ડીંગ માં મધ્યમ વર્ગ ના વિવિધ લોકો રહેતા હતા તેમનો કબજો હજુ ભાડુઆત પાસે હોવાનું જાણવા મળેલ છે ત્યારે ગત મોડી રાત્રીના અરસામાં આવેલ આ બિલ્ડીંગ જે જવાહર રોડ પર આવેલ તે જે બિલ્ડીંગ માં ઉપરના ભાગ અચાનક જ ધરાશય થવા પામેલ જોકે મોડી રાત્રીની ઘટના હોવાથી કોઈ ગંભીર ઘટના બનવા પામેલ નથી પરંતુ જોદિવસના આ ઘટના બની હોત તો ગંભીર નુકસાની થવા પામત ત્યારે આ બિલ્ડીંગ 100 વર્ષ જૂનું હોય ત્યારે આ બિલ્ડીંગ ટ્રસ્ટીઓ દ્વારા એક જાહેર બોર્ડ પણ મારવામાં આવેલ છે કે આ વિસ્તારમાં ઉભા ના રહેવું નહીં અથવા આ વિસ્તારમાં પસાર થવું નહીં અને આ બિલ્ડીંગ ગમે ત્યારે પડી શકે છે

તો આવી સૂચનાઓ લખવાનો શું ફાયદો જો બિલ્ડીંગ બિસ્માર હોય તો આ ટ્રસ્ટીઓ દ્વારા આ બિલ્ડીંગ વહેલી તકે પાડી નાખવામાં આવે તો નુકશાની ના થાય તાજેતરમાં જ આવી ઘટના જુનાગઢ ખાતે બનેલી અને કેટલાય લોકો ઈજા ગ્રસ્ત થયેલા અને ઘણા લોકોએ જાન પણ ગુમાવેલી ત્યારે જુનાગઢ જેવી ઘટના ન બને તેવું રાજુલા શહેરના શહેરીજનો રહ્યા છે ત્યારે આ ટ્રસ્ટીઓ દ્વારા આ બિલ્ડીંગ નું કા તો સમારકામ કરવામાં આવે અથવા આ બિલ્ડીંગ ને પાડી નાખવામાં આવે તેવું રાજુલા ના શહેરી જનો ઈચ્છી રહીયા છે …

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button