AHAVADANGGUJARAT

ડાંગમાં ભાજપનાં ઉમેદવાર દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવેલ હોવાની ફરિયાદ કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ભાજપના ઉમેદવાર દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના જન સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેથી આદર્શ આચાર સંહિતાનો ભંગ થયેલ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.ત્યારે આચારસંહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ કૉંગ્રેસનાં આઈ.ટી.સેલનાં આગેવાન મનીષ મારકણા એ નોડલ અધિકારીને લેખિતમાં અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.19મી માર્ચનાં રોજ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તેમના પક્ષના ઉમેદવારનો જનસંપર્ક કાર્યક્રમ સમગ્ર ડાંગ જિલ્લામાં યોજવામાં આવ્યો હતો.ત્યારે આ કાર્યક્રમનાં ફોટા,વિડિયો ભાજપના સોશિયલ મીડિયા પેજ પર વાઇરલ પણ કરવામાં આવેલ છે.જે અંગેની તપાસ ડાંગ જિલ્લા પ્રમુખ આઈટી સેલનાં મનીષ મારકણા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોઈ  પણ પ્રકારની પરવાનગી લીધા વિના જ ભાજપના ઉમેદવાર દ્વારા જન સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવેલ હોવાનું સામે આવ્યુ હતુ.

જોકે ગત તારીખ 16/3/2024થી સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકવામાં આવેલ છે.ત્યારે ભાજપનાં વલસાડ-ડાંગ 26- લોકસભાનાં ઉમેદવાર તથા તેમની સાથે ફોટા, વિડિયોમાં દેખાય છે.જે તમામ લોકો પર આદર્શ આચારસંહિતા ભંગની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કૉંગ્રેસનાં આઈ.ટી.સેલનાં પ્રમુખ મનીષ મારકણાએ જિલ્લા ચૂંટણી નોડલ અધિકારીને અરજ ગુજારી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button