BANASKANTHATHARAD

અનિયમિત બાળકોને નિયમિત બનાવવા માટે કોઠીગામ પ્રાથમિક શાળાનો અનોખો પ્રયોગ

11 ફેબ્રુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

*બોકસ શાળા ના શિક્ષકો દ્વારા સ્વખર્ચે થી દર માસ દરમિયાન સતત શાળા માં હાજર રહેતા બાળકો ને આપે છે પ્રોત્સાહિત ઇનામો જેના કારણે અનિમિયત બાળકો શાળા માં થયા નિયમિત*..

થરાદ તાલુકા ની કોઠીગામ પ્રાથમિક શાળામાં બાળકોની હાજરી માં નિયમિતતાજળવાઈ રહે તે માટે કોઠીગામ પ્રાથમિક શાળા એક અનોખો પ્રયોગ બાળકો માટે કરવામાં આવે છે અને તેના કારણે શાળા મા બાળકો નિયમિત ભણવા માટે આવે છે.કોઠીગામ પ્રાથમિક શાળામાં બાળકો જે અનિયમિત હતા તે માટે શાળા ના આચાર્ય જે.એમ.આશલ તથા શાળા ના સ્ટાફ દ્વારા બાળકો માં નિયમિત તા લાવવા માટે દર માસ દરમિયાન શાળા મા માસ દરમિયાન એક દિવસ પણ બાળક ગેરહાજર ના હોય તેવા બાળકો ને શાળા ના શિક્ષકો દ્વારા સ્વખર્ચ પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવે છે અને અહીં ઈનામ લેવા માટે બાળક માસ દરમિયાન ગેરહાજર રહેતું નથી અને શાળામાં હાજરી નું પ્રમાણ વધ્યું છે અને શાળામાં ડ્રોપાઉટનું પ્રમાણ ઘટયુ છે શાળાના આચાર્ય જે.એમ.આશલ દ્વારા જણાવ્યા મુજબ એક શિક્ષક માસ દરમિયાન અંદાજે ૩૦૦૦ હજાર રૂપિયા જેટલો સ્વ ખર્ચ પણ કરે છે એનો ફાયદો કે શાળા મા સતત અનિમિયત બાળકો સતત શાળા એ આવતા થયા છે આ પ્રવૃતિ દર માસ દરમિયાન કરવામાં આવે છે.શાળા માં આ પ્રયોગ માટે જાન્યુઆરી માસ માં સતત નિયમિત બાળકો ને ધોરણ ૧ થી૮ મા શાળા ના અગજીભાઈ પટેલ શિક્ષક દવારા તમામ બાળકો ને પ્રોત્સાહિત ઇનામ સ્વરૂપે પાણીની બોટલ આપવામાં આવી હતી.આમ કોઠીગામ શાળા માં શિક્ષણ ની ગુણવતા વધી છે અને ડ્રોપ આઉટ નુ પ્રમાણ ઘટયુ છે……..રૂૂ

[wptube id="1252022"]
Back to top button