DAHODGUJARATUncategorized

દાહોદ તાલુકાના નવાગામમાં પતિના લગ્નેતર સબંધ થી ત્રસ્ત પરણિતાની મદદે અભયમ દાહોદ

તા.૨૭.૦૭.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ તાલુકાના નવાગામમાં પતિના લગ્નેતર સબંધ થી ત્રસ્ત પરણિતાની મદદે અભયમ દાહોદ

દાહોદ જિલ્લા ના નવાગામ ગામ માંથી એક પરિણીતાનો કોલ આવ્યો ને જણાવ્યું કે મને બ્લડ કેન્સર છે.તો છતાં હું બીજાં ઘરોમાં કચરા પોતું કરીને ઘરનુ ગુજરાન ચલાવું છું.અને મારો પતિ મિલમાં કામ કરવા માટે જાઉં છું એમ કહી ને ઘરે થી જતા રહે છે.અને કામ કરવા માટે નહિ જાય અને નશો કરીને આવે અને મને અને મારા 3 છોકરા છે.તેમને અને મને પણ ઘરમાં આવીને અમને મારકૂટ કરે છે.અને મારા પતિને કઈ પણ કહીએ તો અમને એની જાતે લાઈટ ના વાયર પકડી પાડે અને અને એ અમને મરી જવાની ધમકી આપે છે. એક પરિણીતા નો 181 મહિલા હેલ્પ લાઈનમાં પોતાનું લગ્નજીવન બચાવવા મદદ કરવા અનુરોધ થી અભયમ રેસકયુ ટીમ દાહોદ સ્થળ પર પહોંચી પતિ ને કાયદાકિય અને સામાજીક જવાબદારી નુ ભાન કરાવતાં પતિ એ પોતાની ભુલ કબૂલી હતી અને હવે પછી હું મિલમાં કામ કરવા માટે જઈશ અને નશો નહિ કરું અને મારી પત્નીને અને બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ નહિ આપુ. અને પત્ની એને બાળકો ને સારી રીતે રાખીશ તેવી ખાત્રી આપી હતી.
અભયમ કાઉન્સિલરે પતિને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીથી વાકેફ કરેલ સામાજિક અને કાયદાકિય જવાબદારી ભાન કરાવતા પતિએ પોતાની ભૂલ કબૂલી હતી. છોકરાંઓને પણ કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપુ. તેની ખાતરી આપી હતી. અને પસી બંને પતિ પત્ની વચ્ચે અસરકારક કાઉન્સિલગ થી પારિવારિક ઝગડા માં સુખદ સમાધાન કરવામા આવ્યું હતુ. પરણિતા એ પોતાને મળેલ મદદ બદલ અભયમ નો આભાર માન્યો હતો.
આમ અભયમ દ્વારા અસરકારકતાથી પતિને સામાજિક અને કાયદાકીય જવાબદારી ભાન કરાવવામાં પતિએ પોતાની ભૂલ કબૂલી હવે કોઈ જાતની હેરાનગતિ નહિ કરું જેવી ખાત્રી આપવામા આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button