HIMATNAGARSABARKANTHA

આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની રી-ઓક્શન માટે તા.૯ જૂન ૨૦૨૩થી રજીસ્ટ્રેશન કરાવી શકાશે

આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની રી-ઓક્શન માટે તા.૯ જૂન ૨૦૨૩થી રજીસ્ટ્રેશન કરાવી શકાશે

 

************

 

સાબરકાંઠાની આર.ટી.ઓ.માંસીરીઝ GJ09DE,GJ09DF,GJ09DG,GJ09DH,GJ09DJ,GJ09DK,GJ09DL નું RE AUCTION શરૂ કરવામાં આવેલ છે. તથા મોટરકાર(ચાર પૈડાંવાળા પ્રાઈવેટ વાહનો)ના નંબર માટે GJ09BF,GJ09BK,GJ09BG,GJ09BJ,GJ09BH,GJ09BLનું રી- ઓક્શન કરવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી વેબ સાઇટ https://Parivahan.gov.in/fancy પર ઓનલાઇન કરી રી-ઓકસનમાં ભાગ લઈ શકાશે. આ માટે તા.૦૯ જૂન ૨૦૨૩ના રોજ દિવસે ૦૪.૦૦ કલાકથી તા.૧૧ જૂન ૨૦૨૩ના રોજ દિવસે ૦૩.૫૯ સુધી AUCTION માટેનું ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે.તા.૧૧ જૂન ૨૦૨૩ના રોજ દિવસે ૦૪.૦૦ કલાક થી તા.૧૩જૂન ૨૦૧૩ ના રોજ દિવસે ૦૪.૦૦ સુધી AUCTION માટેનું BIDDING OPEN થશે..અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર CNA ફોર્મ ભરેલું હોવું જોઈએ. વેલીડ CNA ફોર્મ રજુ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે. હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના ૫(પાંચ) દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે.અરજદાર જો આ નિયમ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો જે તે નંબર મુળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે.ઓનલાઈન ઓકશન દરમ્યાન અરજદારે RBI ધ્વારા નકકી કરેલ દરે ચાર્જ ચુકવવાના રહેશે.વાહનના સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરાજના જ અરજદારોએ હરાજીમાં ભાગ અરજી કરી શકાશે.સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી,હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button