
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૧૩ મેં : અંજાર એ.આર.ટી.ઓ કચેરી દ્વારા મોટર સાયકલ(૨ વ્હીલર), એલ.એમ.વી.કાર(૪-વ્હીલર) અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની સિરીઝમાં બાકી રહેલ ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૫/૦૫/૨૦૨૪, સમય સાંજે ૪.૦૦ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૫/૨૦૨૪, સમય સાંજે ૪.૦૦ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૭/૦૫/૨૦૨૪, સમય સાંજે ૪.૦૦ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૧૯/૦૫/૨૦૨૪, સમય સાંજે ૪.૦૦ કલાક સુધી થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલર માટે ફી રૂ. ૮૦૦૦ તથા અન્ય ફી રૂ.૪૦૦૦૦, રજત-સિલ્વર નંબરમાં ટુ-વ્હીલરના ફીના રૂ. ૩૫૦૦ તથા અન્ય ફીના દર રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ટુ- વ્હીલરના રૂ. ૨૦૦૦ તથા અન્ય ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા http://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/Online auction/૭૪૨૧ તા.૧૨/૧૦/૨૦૧૭ Appendix-Aની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર રજૂ કરવાની રહેશે.. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહી મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહીં.અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણાં જમાં કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ(Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહી.ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી નેટ બેન્કીંગ, ક્રેડીટ-ડેબીટ, કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અંજાર કચ્છની યાદીમાં જણાવાયું છે.










