GUJARATLUNAWADAMAHISAGAR

વડાપ્રધાને વર્ચ્યુઅલ કાર્યક્રમ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં ડો. બાબાસાહેબ આંબેડકર ભવન,મોટા સોનેલા ખાતે યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

વડાપ્રધાને વર્ચ્યુઅલ કાર્યક્રમ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં ડો. બાબાસાહેબ આંબેડકર ભવન,મોટા સોનેલા ખાતે યોજાયો

મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરના હસ્તે આયુષ્યમાન હેલ્થકાર્ડ અને “પીપીઇ કીટ” વિતરણ કરવામાં આવ્યુ હતુ

મહીસાગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમ ડો. બાબાસાહેબ આંબેડકર ભવન,મોટા સોનેલા ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજય સરકાર હંમેશા છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરીયાતો સંતોષાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહી છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાન થકી દેશને સ્વચ્છ કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. જેમાં સૌથી વધુ યોગદાન સફાઈ કર્મચારીઓનું રહ્યુ છે.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ- સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુંઅલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળ્યો હતો.

આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.

મહીસાગર જિલ્લા સહિત દેશના ૫૨૨ જિલ્લાઓના ૧ લાખથી વધુ SC, OBC અને સફાઇ કામદારોને ક્રેડિટ સપોર્ટ તથા સફાઈ કામદારોને આયુષ્યમાન હેલ્થકાર્ડ અને “પીપીઇ કીટ” વિતરણ કરવામાં આવ્યુ હતુ.

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button