આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ઘ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદનાઓના ઉપક્રમે મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ઘ્વારા તા.૯/૧૨/૨૦૨૩ ને શનિવાર ના રોજ ૧૦:૦૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં સમાધાનલાયક કેસો જેવા કે, ફોજદાર સંમાધાન લાયક કેસો, નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ના કેસો, બેંક રીકવરીના કેસો, અકસ્માત વળતરના કેસો , મજુર ડીસ્પુટના કેસો, જમીન સંપાદનના કેસો , ફેરફાર/ભાગલા/ભાડા બેંક વસુલાત સુખાધિકારીના હકકો વિગેરેના દિવાની દાવાઓ, વીજળી અને પાણીના બીલના કૈસો , પ્રિ-લીટીગેશનના કેસો , ભરણ પોષણના કેસો અને કૌટુંબિક ઝધડાના કેસોનો સમાધાન લાયક કેસો તેમજ અન્ય સમાધાન લાયક કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.
જેમાં કેસો મુકવા ઈચ્છતા પક્ષકારો,વકીલો જીલ્લા કાનુની સેવા સત્તાં મંડળ,મહીસાગર મુ.લુણાવાડા તથા મહીસાગર જીલ્લાની જે તે તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનનો સંપર્ક કરશો તેમ ફુલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર-લુણાવાડા દ્વારા જણાવવામાં આવ્યું છે









