
આસીફ શેખ લુણાવાડા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા-મહીસાગર જિલ્લો
ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા

હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી કરવા તથા છેવાડાના ગામોને સો ટકા સુધી યોજનાઓનો લાભ પહોચાડવા માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા મહીસાગર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે. જેની ઝાંખી વિકસિત ભારત યાત્રામાં જોઇ શકાય છે. મહીસાગર જિલ્લામાં રથના માધ્યમ થકી વિવિધ ગામોમાં નક્કિ કરેલા રૂટ અનુસાર યાત્રા પરિભ્રમણ કરી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં બાળકોથી લઇ અબાલ વૃધ્ધ સુધી હરકોઇ ગામથી લઈ દેશના વિકાસ માટે પોતાનું સહિયારૂ યોગદાન આપવા સંકલ્પ બધ્ધ થયા છે. ત્યારે જેઠોલી ગામે ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ અને જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાની સાથે સાથે લાભાર્થીઓએ પોતાના અનુભવો “મેરી કહાની મેરી ઝુબાની” થીમ અંતર્ગત જણાવ્યા હતા.









