GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જીલ્લાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા લુણાવાડા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં નવરાત્રી મેળાનો આરંભ

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જીલ્લાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા લુણાવાડા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં નવરાત્રી મેળાનો આરંભ

જીલ્લા વિકાસ અધિકારી સહીત મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી રીબીન કાપી નવરાત્રી મેળાનું કર્યું ઉદ્ઘાટન

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી ધ્વારા નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) મિશન મંગલમ યોજના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અગામી નવરાત્રી પર્વને અનુલક્ષી મહીસાગર જિલ્લા કક્ષાનો નવરાત્રી મેળો–તારીખ ૯ ઓક્ટોબર ૨૦૨૩ થી ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ સુધી આયોજન કરવામાં આવ્યું છે. લુણાવાડા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આયોજિત નવરાત્રી મેળાનું જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભલવેન્દ્રભાઈ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પી.એ.ચૌહાણના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટય અને રીબીન કાપી ઉદ્દઘાટન કરવામા આવ્યું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ નવરાત્રી મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા અને જણાવ્યું હતું કે સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને, આજીવિકામાં વધુ સુધારો આવે અને ગરીબીમાંથી બહાર આવે એ હેતુથી ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે.

સરકાર અને જી.એલ.પી.સી ધ્વારા રાજયમાં મહિલાઓના સશકિતકરણ અને ગ્રામીણ આજીવિકા મિશન હેઠળના સ્વસહાય જુથોને કૌશલ્ય તાલીમ મેળવેલા બહેનો ધ્વારા આજીવિકા મેળવવાના અર્થે નવરાત્રી પર્વને અનુલક્ષી નવરાત્રી મેળો –૨૦૨૩ યોજવાનું નક્કી કરવામાં આવ્યું જે અન્વયે લુણાવાડા ખાતે નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવેલ છે અને છ તાલુકાની સ્વ સહાય જુથની બહેનો ધ્વારા નવરાત્રી પર્વને અનુલક્ષી વસ્ત્રો, સ્ત્રી શૃંગાર સુશોભનની ચીજવસ્તુઓ નું વધું વેચાણ થાય તે માટે જીલ્લા તંત્ર દ્વારા નાગરિકોને આહવાન કર્યું છે. આ કાર્યકમમાં સ્વસહાય જુથની બહેનો, ટીએલએમ, મિશન મંગલમનો સ્ટાફ ઉપસ્થીત રહયો હતો.

[wptube id="1252022"]
Back to top button