AMRELILILIYA

લીલીયા મોટા ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા રામનવમી પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ

લીલીયા મોટા ખાતે આજે શ્રી રામ સેવા સમિતિના બેનર તળે શ્રી રામ નવમી પર્વની આસ્થા ભેર ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ રામજી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરાઈ બપોરના 12 કલાક રામ જન્મોત્સવ ઉજવાયો બપોર બાદ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું મોટી સંખ્યામાં ધર્મ પ્રેમીઓ આ શોભા યાત્રા માં જોડાયા હતા આ તકે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અમરેલી 14 લોકસભા ના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા સહિત અગ્રણી આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહેલ જેવો એ જય શ્રી રામ જય શ્રી રામ ના ગગન ભેદી સૂત્રોચાર કરી ભક્તિ મય વાતાવરણ ખડું કર્યું હતું બપોર બાદ રામજી મંદિર ખાતેથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ આ શોભાયાત્રા વાજતે ગાજતે શહેરના માર્ગો પર ફરી હતી જેમાં રામ ભક્તો દ્વારા ઠંડા પીણાં,લચ્છી તેમજ આઈસ્ક્રીમ ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ રામ જન્મોત્સવ માં ગ્રામજનો સામાજિક સંસ્થાઓ અને રામ ભક્તો મોટી સંખ્યામાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા

રિપોર્ટર
હનીફ કાતીયાર લીલીયા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button