GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના ફુવારા ચોક લુણાવાડા ખાતે ‘ ગરબા ઓફ ગુજરાત’ કાર્યક્રમ યોજાયો

આસીફ શેખ લુણાવાડા

ગુજરાતના ગરબાને મળી વૈશ્વિક ઓળખ

યુનેસ્કોએ ગુજરાતનાં ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કર્યો

મહીસાગર જિલ્લાના ફુવારા ચોક લુણાવાડા ખાતે ‘ ગરબા ઓફ ગુજરાત’ કાર્યક્રમ યોજાયો

ગરવા ગુજરાતની ગરવી સંસ્કૃતિનો ઇતિહાસ ગુજરાતના ગરબામાં ધરબાયેલો છે.ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં, ગરબાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ગરબો એટલે ભક્તિભાવ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ. ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાને વૈશ્વિક ઓળખ મળી છે. ગુજરાતનાં ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપવામાં આવી છે.

રાજ્યના રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, મહીસાગર દ્વારા ફુવારા ચોક લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘ગરબા ઓફ ગુજરાત ‘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોત્સવાના ખાતેથી યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૃત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય, તેવા શુભ આશયથી ગુજરાતના ગરબાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુનેસ્કો (UNESCO) ની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના ૧૮માં સત્રમાં ગુજરાતના ગરબાને ભારતમાંથી ‘અમૃત સાંસ્કૃતિક વારસો’ (ICH) તરીકે અંકિત થઇ છે. જે આ યાદીમાં સામેલ થનાર ભારતનું ૧૫મું (ICH) બન્યું છે.

[wptube id="1252022"]
Back to top button