
વિજાપુર તાલુકાના પાંચ ગામો એ ગોજારીયા તાલુકા માં સમાવેશ ના મુદ્દે વિરોધ નોંધાવ્યો તાલુકા પંચાયતે પાંચ ગામો ને ટેકો કરતા સર્વાનુમતે ઠરાવ કરાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા તાલુકા પંચાયત ના પ્રમુખ પરેશભાઈ પટેલ ના અધ્યક્ષતા માં તેમજ તાલુકા વિકાસ અધિકારી પાર્થ મિશ્રા ના ઉપસ્થિતિ માં યોજાઈ હતી જેમાં ગોજારીયા તાલુકા માટે મંગાવેલ અભિપ્રાય અંગે તાલુકા પ્રમુખ વિરોધપક્ષના નેતા દીનેશસિંહ તેમજ ઉપસ્થિત 26 જેટલા સદસ્યો વચ્ચે ચર્ચા ઓ વિચારણા કર્યા બાદ તેમજ તાલુકાના પાંચ જેટલા ગામો વસઈ ચંદ્રનગર (ડા) મહાદેવપુરા (ડા) દેવડા સહિત પાંચ ગ્રામપંચાયતો એ પણ સર્વાનુમતે અસમંત નો ઠરાવ કરી તાલુકાને મોકલી આપ્યો છે જેમાં પાંચ ગામોએ સમાવેશ નહિ કરવા માટે સ્પષ્ટતા કરવા માં આવી છે જે ની નોંધ સામાન્ય સભા માં લેવા આવી હતી તમામ મુદ્દે ચર્ચાઓ કર્યા બાદ ગોજારીયા તાલુકા માં પાંચ ગામોને સમાવેશ નહીં કરવા સર્વાનુમતે પંચાયત માં ઠરાવ કરવામાં આવ્યો હતો જેને હવે ગોજારીયા તાલુકા માટેનો મુદ્દો વિકટ બન્યો છે આ અંગે સિનિયર આગેવાનો ગોવિંદભાઇ પટેલ તેમજ ભરતભાઇ દાઢી સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતુંકે તાલુકાના પાંચ ગામોને કુકરવાડા નજીક હોવાથી સરકારી વ્યવહાર ની સરળતા ના કારણે ગોજારીયા ને બદલે કુકરવાડા ને તાલુકો બનાવવા માં આવે જેને લઇને અગાઉ સરકાર માં રજૂઆત પણ કરવામાં આવી છે જેને અગાઉ ઘણા કાર્યક્રમો પણ યોજાયા હતા હાલમાં તાલુકા પંચાયત ની સામાન્ય સભામાં ગોજારીયા તાલુકા માટે તમામ સભ્યોએ અ સંમતિ દર્શાવી છે જેને ગોજારીયા તાલુકા નો મુદ્દો કુકરવાડા તાલુકાનો મુદ્દો ફરી પાછા આમને સામને આવી ગયા છે





