GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર સંત શ્રી બોરાબાપજી ની ગાદીએ ધજા સામૈયા નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર સંત શ્રી બોરાબાપજી ની ગાદીએ ધજા સામૈયા નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમસમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાવસોર રોડ ઉપર આવેલ સંત બોરા બાપજી ની અમર ગાદીએ આજ રોજ મહાવદ્દ અંધારી પાંચમ ના દિવસે ધજા રોહણ તેમજ હોમ હવન યજ્ઞ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંત શ્રી બોરા બાપજી ની ગાદીએ લોકો એ દર્શન કરી પ્રસાદી મેળવી હતી ભાવસોર તેમજ આસપાસ ની સોસાયટી વિસ્તાર માં રહેતા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવ્યા હતા આ અંગે બાબુ ભાઈ પટેલે જણાવ્યું હતુકે આ અમરગાદી ઘણા સમય પહેલા આવેલા બોરા બાપજી ની ગાદી તરીકે જાણીતી છે આ ગાદીની સ્થાપના મહા વદ અંધારી પાંચમ ના દિવસે કરવા માં આવી હતી સંત શ્રી બોરા બાપજી અહી તેઓના શિષ્ય સાથે પધારી અહીંથી જન સેવા કરવા નો ઉદ્દેશ મળ્યો ત્યાર થી અહીં અમર ગાદી છે લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવે છે સવાર માં દર્શન કરવા આવતા લોકો અહીં એક કુદરતી સૌંદર્ય ના અને અલ્હાદક વાતાવરણ નો અનુભવ કરે છે અને સંત બોરા બાપજી ના દર્શન કરી આર્શીવાદ મેળવે છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button