
વિજાપુર પંથકના એક ગ્રામ્ય વિસ્તારમ માંથી 14 વર્ષીય સગીરા ગૂમ થયાની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કોઈ એક ગ્રામ્ય વિસ્તાર માંથી કપડાં ધોવા ખેતરમાં આવેલ બોર ઉપર નીકળેલ 14 વર્ષીય સગીરા ઘેરે મોડા સુધી નહિ આવતા સગીરાના પિતાએ ઘણી શોધખોળ બાદ ગૂમ થઈ હોવાની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગેના તાલુકા પંથકમાં અવાર નવાર બનતા બનાવો પૈકી કોઈ એક ગ્રામ્ય વિસ્તારની 14 વર્ષીય સગીરા પોતાના માતાપિતા ને ખેતરમાં બોર ઉપર કપડાં ધોવા માટે જાઉં છું કહી તા.27.મે 2024 ના રોજ સાંજના સમયે નીકળી હતી જે સગીરા મોડી રાત્રી સુધી ઘેર પરત નહીં આવતા પરિવાર જનો માં ભારે ચિતાઓ ઉભી થતા ખેતર તેમજ લાગતા વળગતા લોકોમાં તપાસ કરતા નહીં મળી આવતા સગીરા ના પિતા એ પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ અંગે કલમ 364 મુજબ ફરીયાદ નોંધી ગુમ થયેલ સગીરા ની શોધખોળ હાથ ધરી છે.