DAHOD CITY / TALUKOGUJARAT

લીમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ 181 પર ફોન કરી જણાવ્યું કે દીકરો અને વહુ દાગીના માટે હેરાનગતિ કરે છે 

તા.૦૩.૦૫.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ 181 પર ફોન કરી જણાવ્યું કે દીકરો અને વહુ દાગીના માટે હેરાનગતિ કરે છે

લીમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેઓને દીકરો અને વહુ દાગીના બાબતે હેરાનગતિ કરે છે તેમ જણાવતાં 181 અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરી અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન પીડિતાએ જણાવેલ કે દીકરાના લગ્નને એક વર્ષ થયું છે અને લગ્ન વખતે વહુને ચડાવેલ દાગીના બાબતે દીકરો અને વહુ હેરાનગતિ કરે છે જેમાં વહુને સાસરી પક્ષથી ચડાવેલ દાગીના ઘરમાં સગવડ ન હોવાથી પીડિતાએ અને તેમના પતિએ ગીરવે મુકેલ છે અને સગવડ આવશે ત્યારે છોડાવી આપીશું તેમ કહેલ તેમ છતાં તેઓ માનતા નથી જેથી 181 ટીમ દ્વારા દીકરા અને વહુને સમજાવેલ કે હાલ તેમના પાસે સગવડ નથી જરૂર પડી હશે તો દાગીના મૂક્યા હશે અને લગ્ન કરાવ્યા પછી માતા પિતા ની જવાબદારી પૂરી થઈ જાય છે જેથી પીડિત મહિલાને અને તેમના પતિને સમજાવેલ કે જે ભી લેવડ દેવડ હોય એ વહુ અને દીકરાને જણાવી દો જેથી એ લોકો કમાઈને દાગીના છોડાવી લાવશે અને હવે ફરજ આવે છે એટલે એ લોકો કમાશે તમારે ફક્ત ઘર સાચવીને બેસવાનું છે અને બંને પક્ષોને પોતાની ફરજ અને જવાબદારીનું ભાન કરાવતા બને પક્ષોને પોતાની ભૂલ સમજાતાં પોતાની ભૂલની માફી માંગી બંને પક્ષો સમાધાન કરવા માગતા હોય જેથી બંને પક્ષોનું અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન સુખદ સમાધાન કરાવેલ જેથી બંને પક્ષોએ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button