GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તા.૦૪ જુને થશે મતગણતરી

મત ગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ

તા.31/05/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મત ગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે મતગણતરી પ્રક્રિયા તા.૦૪.૦૬.૨૦૨૪ના રોજ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે મતગણતરીની આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય તથા કાયદો વ્યવસ્થા તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે સી સંપટ દ્વારા મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામામાં જણાવ્યા મુજબ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગરની આસપાસના તમામ રસ્તાઓ પર તા.૦૪.૦૬.૨૦૨૪ના રોજ સવારે ૦૬.૦૦ કલાકથી મતગણતરી પૂર્ણ થયા બાદ બે કલાક સુધી કોઈ પણ ભારે વાહનો અવરજવર કરી શકશે નહી સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ તથા અન્ય આકસ્મિક સેવા પૂરી પાડતા વાહનો તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર દ્વારા અધિકૃત કરેલા વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિ.

[wptube id="1252022"]
Back to top button