BANASKANTHA
સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયના T.L.M.નું રચનાત્મક સર્જન કરવામાં આવ્યું


15 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં આજે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મનુષ્યના શરીરના અંગો, ગુજરાતના સ્થાપત્યો,હિન્દી વર્ણમાલા વગેરે જેવા વિષયના T.L.M.બનાવ્યા. આ T.L.M. નો ઉપયોગ હવે શિક્ષક મિત્રો પોતાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુમાં ઉપયોગમાં લેશે.બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.સી.ઈલાસરીયા સાહેબે પ્રાથમિક શાળાના બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોની આ પ્રવૃત્તિને બિરદાવવામાં આવી અને આ પ્રવૃત્તિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
[wptube id="1252022"]







