BANASKANTHALAKHANI

શેરગઢ ગામે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના શેરગઢ ગામ ખાતે આવેલ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવના મંદીરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શેરગઢ ગામના યુવા મિત્રો,વડીલો તેમજ ભક્તજનોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મલ્યો હતો. આ પ્રસંગ મંદિર ખાતે ત્રણ દિવસ થી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ હતુ છે. જેમાં શોભાયાત્રા, જળ યાત્રા,દેવોની સ્નાન વિધિ, સાય પુજન આરતી, પ્રાણ પ્રતિષ્ઠા,મહા આરતી,મહા પ્રસાદ વગેરે કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે.જયારે કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાન લઈને સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય જોવા મલ્યુ હતુ. અને ભક્તોમા પણ અનેરો ખુશીનો માહોલ જોવા મલ્યો હતો. જયારે રંગેચંગે કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. મંદીર ખાતે મહા પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ. મોટી સંખ્યામાં ભક્તજનો મહા પ્રસાદનો લાભ લીધો હતો.

એહવાલ – ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button