અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી પ્રસાદી વેચાણ કેન્દ્ર મુકાતા પ્રસાદ લેવા યાત્રીકોની ભીડ જોવા મળી


17 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શક્તિપીઠ અંબાજીમાં છેલ્લા 15 દિવસ બાદ મોહનથાળનો પ્રસાદ શરૂ કરાતાં ભક્તોમાં ભારે ખુશી જોવા મળી છે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલો મોહનથાળનો પ્રસાદ ફરી પ્રસાદી વેચાણ કેન્દ્ર મુકાતા પ્રસાદ લેવા યાત્રીકોની ભીડ લાગી હતી, પ્રસાદ.અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે પ્રારંભે 3250 કિલો મોહનથાળ બનાવવામાં આવ્યો છે અને ભક્તોને અપાઈ રહ્યો છે જેને લઈ ફરી મોહનથાળ ના પ્રસાદ ની આતુરતાથી રાહ જોઈ રહેલા ભક્તો માં ખુશી ની લાગણી જોવા મલી રહી છે. મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરાતાં બેરોજગાર બનેલી બહેનોને ફરીથી કામ મળતાં તેવો પણ માતાજીનો આભાર માની રહી છે. વર્ષોથી ચાલી આવતો મોહનથાળનો પ્રસાદ અચાનક બંધ કરીને ચીક્કીનો પ્રસાદ શરૂ કરી દેવતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી તો મોહનથાળના પેકીંગ અને કટિંગનું કામ કરતી 300 જેટલી બહેનોની રોજીરોટી છીનવાઇ જતા તેવો બેરોજગાર બની હતી અને તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતાં તેમની હાલત કફોડી બની હતી જોકે ભક્તો અને હિન્દૂ સંગઠનોના ભારે વિરોધ બાદ સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાતાં ગઇકાલથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રોજના 3250 કિલો મોહનથાળ બનાવવાનું શરૂ કરાયું છે ને જે પ્રસાદ ના પેકેટ તૈયાર કરવા છુટી કરાયેલી મહીલાઓને ફરી બોલાવી લેવાતા નીરાધાર બનેલી બહેનો માં ફરી ખુશી છવાઈ છે. મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા મોહનથાળના કટિંગ અને પેકિંગનું કામ કરતી અંબાજીની 300 જેટલી ગરીબ મહિલાઓની રોજીરોટી છીનવાઇ જતા તેવો બેરોજગાર બની હતી અને તેમનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની હતી જોકે હવે મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં બેકાર બનેલી ગરીબ મહિલાઓને ફરીથી રોજીરોટી મળતાં તેમનામાં ભારે ખુશી જોવા મળી રહી છે જેથી તેવો માં અંબાનો ,મંદિર ટ્રસ્ટનો ને સરકારનો આભાર માની રહી છે. અને હવે ફરી મોહનથાળ કદી બંધ ન થાય તેવી પ્રાર્થના કરી રહી છે








