
રિપોર્ટર. . યોગેશ કાનાબાર રાજુલા
ખાભા ના ડેડાણ માં અમરધામ આશ્રમ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો

જેમાં ભજનિક કલાકાર રાહુલ રાવળ. ભોળાભાઈ આહીર. ભૂમિબેન આહીર. અનુસૂયાબેન શિયાળ. સહિતના નામી અનામી કલાકારો દ્વારા આખી રાત્ર ભજન સંતવાણી ની રમઝટ બોલાવી હતી
તેમજ પૂજ્ય દેવેન્દ્ર દાસ બાપુ. માતાજી અમરમાં.અને બાલક દાસ બાપુ નું સેવકગણ દ્વારા સન્માન કરાયું હતું
આ પ્રંસગે માં અમરધામ આશ્રમ ના મહંત શ્રી દેવેન્દ્ર દાસ બાપુ ની સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સાકરતુલ્લા કરવામાં આવી હતી.
તેમજ આ તકે રાજુલા જાફરાબાદ અને ખાભા ના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં અને ડેડાણ દરબાર શ્રી મહેશભાઈ કોટીલા. પૂજ્ય રાજુદાદા શાસ્ત્રી.વસંતભાઈ દોશી.મુસ્લિમ સમાજ પ્રમુખ અયુબખાન પઠાણ. ઘાંચી સમાજ પ્રમુખ મજીદભાઈ ટાંક. સરપંચ અલારખભાઈ પઠાણ. ઉપ સરપંચ ઘનશ્યામભાઈ કચ્છી. પૂર્વ સરપંચ નટુભાઈ રાઠોડ. મહમંદભાઈપડાયા.વાસુરભાઈ વહરા. ઉસ્માનભાઈ ભોકીયા. પત્રકાર બહાદુરભાઈ હિરાણી.મોહસીન પઠાણ. તેમજ બહાર થી પધારેલા મહેમાનો સોમાભાઈ આહીર. માનસિંગભાઈ દાહોદ.મેરામભાઈ તાવેડા. ઘુઘાભાઈ માળીયા. વર્લભભાઈ માળીયા.દિનેશભાઇ ભાવનગર.સહિત ના મોટી સઁખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને એક સાથે આધારેય વરણ ના લોકો એ ભજન અને ભોજન નો લાભ લીધો હતો









