GUJARAT

ભરૂચ લોકસભાના ‘આપ’ ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પરિવાર સહિત મતદાન કર્યું

ભરૂચ લોકસભાના ‘આપ’ ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પરિવાર સહિત મતદાન કર્યું.

તાહિર મેમણ – 07/05/2024- આજે દેશમાં ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણીની યોજાઇ. આ ત્રીજા તબક્કામાં સમગ્ર ગુજરાતની 26 બેઠકો પર આજે મતદાન થયું. ભરૂચ લોકસભાથી ચૈતરભાઈ વસાવા અને ભાવનગર લોકસભાથી ઉમેશભાઈ મકવાણા એમ બે ઉમેદવારો આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સમગ્ર ગુજરાતમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કરવાની શરૂઆત કરી હતી. આજે સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો અને પ્રદેશના નેતાઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.

ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પોતાના પરિવાર સહિત વહેલી સવારે મતદાન કર્યું હતું. ચૈતરભાઈ વસાવાએ મતદાન કર્યા બાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારત દેશ એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને આપણા દેશના તમામ પુખ્ત વયના લોકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. ત્યારે આપણે સૌની જવાબદારી બને છે કે આપણે આપણા પરિવાર સહિત મતદાન કરીએ. તમારો એક એક મત દેશના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે, માટે હું તમામ લોકોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button