
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લા પંચાયત હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલના અધ્યક્ષ સ્થાને જેન્ડર આધારિત હિંસા નાબુદી અંતર્ગત વર્કશોપ યોજાયો

રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન દ્વારા તમામ રાજયોમાં નવી ચેતના ૨.૦ અંતર્ગત તા. ૨૫/૧૧/૨૦૨૩ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ સુધી જેન્ડર આધારિત હિંસા નાબુદી અંતર્ગત અભિયાન ચલાવવામાં આવ્યું છે જે અંતર્ગત મહીસાગર જીલ્લા પંચાયત હોલ ખાતે વર્કશોપ યોજાયો હતો.
જેમાં જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ દ્વારા જેન્ડર આધારિત હિંસા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર દ્વારા જેન્ડર આધારિત હિંસા અને મહિલાઓ ને પ્રેરિત કરવા માટે ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યુ ત્યારબાદ એન.આર.એલ.એમ. યોજના ના શાખા અધિકારી હરીશચંદ્રસિંહ રાઠોડ દ્વારા જેન્ડર આધારિત હિંસા નાબૂદી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ પ્રોગ્રામ માં જિલ્લા્ કાનુની સેવા સત્તા મંડળના સચિવ બીહોલા દ્વારા મહિલા લક્ષી કાયદાઓની માહિતી આપી તેમજ મહિલા અને બાળ વિકાસ કચેરી માંથી જેન્ડર સ્પેશિયાલીસ્ટ શ્રીમતી દિપીકાબેન દ્વારા ઘરેલુ હિંસા અને મહિલા લક્ષી યોજનાઓની માહિતી આપી હતી.









