DAHOD CITY / TALUKOGUJARAT

સિંગવડ તાલુકાના નજીક આવેલા ગામમાંથી એક મનોરોગી મહિલા મળી આવેલ હતી જેથી થર્ડ પાર્ટી ફોન કરી અને 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી

તા.૧૨.૦૪.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

સિંગવડ તાલુકાના નજીક આવેલા ગામમાંથી એક મનોરોગી મહિલા મળી આવેલ હતી જેથી થર્ડ પાર્ટી ફોન કરી અને 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી

ત્યારબાદ થર્ડ પાર્ટી એ જણાવેલ સરનામે 181 મહિલા હેલ્પલાઇન ની ટીમ પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડીતા માનસિક રીતે અસ્વસ્થ તેઓ ચાલતા ચાલતા આ જગ્યા પર પહોંચી ગયા હતા. પીડીતા કામ કરવા ગયા હતા અને ત્યાંથી તેઓ ભૂલા પડ્યા હતા. પીડિતાના ચાર બાળકો હતા અને તેઓના પતિ પણ હતા તેઓ તેઓના પિયરમાં તેમના પપ્પા જોડે રહેતા હતા. કાઉન્સિલિંગ કર્યા બાદ તેમના બહેન નો કોન્ટેક કરી અને પીડીતાના ગામનું નામ પૂછી અને તેઓના ગામમાં ના સરપંચ જોડે કોન્ટેક કરી અને પીડીતાના પિતાને બોલાવી અને પીડીતાને તેમના પરિવાર જોડે પુનઃમિલન કરાવેલ છે. અને તેમના પિતાને સોંપેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button