DAHOD

દાહોદ જિલ્લાના ૭૬ ગામના ૧૬૮ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ અને ૯૭૮૧ આવાસોના ખાતમુહુર્ત કરાશે

તા.૧૧.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લાના ૭૬ ગામના ૧૬૮ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ અને ૯૭૮૧ આવાસોના ખાતમુહુર્ત કરાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધા સભર આવાસોના ઈ-લોકાર્પણ, ઈ- ખાતમુહુર્ત અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ આવાસોના ઈ- ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનશ્રી દ્વારા કુલ રૂ. ૧૯૪૬ કરોડના ૪૨,૪૪૧ આવાસોના ગૃહપ્રવેશ, ખાતમુહુર્ત અને લોકાર્પણ થશે. આ કાર્યક્રમને સમાંતર દાહોદ જિલ્લાના ૭૬ ગામના ૧૬૮ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ અને ૯૭૮૧ આવાસોના ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૨૨ સુધીમાં કુલ ૯૨૩૦૬ આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા. જેની સામે ૯૨૨૯૨ (૯૮.૯૦%) આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૧૧૬૦૪ આવાસો મુંજર કરેલ છે. જેની સામે ૧૧૨૭૦ (૯૭.૧૨%) લાભાર્થીઓને પ્રથમ હપ્તો રૂ. ૩૦૦૦/- આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જો લાભાર્થી પોતાનું આવાસ ૬ મહિનાની મર્યાદા માં પૂર્ણ કરશે તો તેઓને રાજ્ય સરકારશ્રી તરફ થી રૂ.૨૦૦૦૦/- વધારાની ની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે

[wptube id="1252022"]
Back to top button