BANASKANTHADEESA

લુણપુર નકળંગ મંદિરમાં બિડી સિગારેટ ગુટકા તંમાકુ અફીણ ઉપર ગામ લોકો લગાવ્યો પતિબંધ

નિયમનો ભંગ કરનારા થશે દંડ

ડીસા તાલુકાના લુણપુર ગામે નકળંગ ભગવાનના મંદિરે ભાદરવા બીજનો મેળો યોજાઈ છે જેમાં આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ અને પૂજ્ય મુનિરાજ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ પ્રવચન યોજાયું હતું જેમાં પૂજ્ય ગુરુ મહારાજ રાધા-કૃષ્ણ ના દાખલાથી જણાવ્યું હતું કે જેમ રાધા શ્રીકૃષ્ણની શાતા માટે નરકમાં જવા પણ તૈયાર હતી તેમ આપણે જો નકળંગ મંદિરના સાચા ભક્ત હો તો તમારે બીડી-ગુટકા જેવા દૂષણોનો ત્યાગ કરવો જોઈએ જો મંદિરની જમીનમાં નીચે ખાડો ખોદીને હાડકા વગેરે અશુદ્ધિ બહાર કાઢવી પડે તો મંદિરની આજુબાજુ પણ કેટલી પવિત્રતા હોવી જોઈએ. આવા દુષણો મંદિરની પવિત્રતા અને મહિમાનો નાશ કરે છે ગામજનો દ્વારા સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો કે આજથી માંડીને મંદિરના પરિસરમાં બીડી,સિગારેટ ,ગુટકા,તંમાકુ,અફીણ, ચરસ દારૂ જેવા કોઈપણ દુષણ ચલાવી લેવામાં આવશે નહીં.આ માટે મંદિરમાં જાહેર સૂચના માટે બોર્ડ લગાવવામાં આવશે અને નિયમભંગ કરનારને દંડ કરવામાં આવશે.ખરેખર લુણપુર ગામનો આ નિર્ણય દેશભરના દરેક મંદિરો માટે આદરણીય છે.ઉલ્લેખનીય છે કે પૂજ્ય ગુરુ મહારાજની મિશ્રામાં આઠ મહિના પહેલા લુણપુર ગામથી જ અફીણ અને દારૂબંધીના અભિયાનની શરૂઆત થઈ હતી. હવે મંદિરોમાં પવિત્રતા જાળવવા માટે એક નવા અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે.

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button