GUJARAT

મટાણા, મોરાડિયા માં આતંક મચાવનાર દિપડી પાંજરે પુરાઇ,લોકો માં રાહત નો શ્વાસ

વાત્સલ્યમ સમચાર

દાનસિહ વાજા ગીર સોમનાથ

સૂત્રાપાડા તાલુકા નાં મટાણા અને મોરડીયા ગામે દીપડા ના આતંક નાં પગલે વન વિભાગ દ્વારા રેસ્ક્યું કરી વધુ એક દિપડી ને પકડી પાડી જૂનાગઢ રેસક્યું સેન્ટર ખાતે મોકલી આપવા માં આવેલ છે . આ અંગે વેરાવળ રેન્જ નાં આર. એફ. ઓ. કે.ડી પંપાનીયા એ જણાવ્યુ હતું કે એક બાળક અને ડોશી માં નુ મૃત્યુ થયું હતું તે 500 મીટર નાં વિસ્તાર માંથી જ આ દીપડી નુ રેસ્કયું કરવામાં આવ્યું હતું જેની ઉંમર અંદાજે 3 થી 5 વર્ષ છે અને તેને જૂનાગઢ રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપેલ છે.આ કામગીરી માં સૂત્રાપાડા ફોરેસ્ટર એન. એમ પંપનીયા ,વનરક્ષક  પી. બી વાળા અને ટેકરો તેમજ લેબર સહીત નો સ્ટાફ જોડાયો હતો


[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button