GUJARATNARMADATILAKWADA

તિલકવાડા વન વિભાગ દ્વારા વિનામૂલ્યે માટીના કુંડા નું વિતરણ કરી વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી

ઘરની બહાર માટીના કુંડા બાંધી તેમાં પાણી રાખીને પંખીઓને બચાવવા માટે લોકો ને અપીલ કરવામાં આવી

તિલકવાડા વન વિભાગ દ્વારા વિનામૂલ્યે માટીના કુંડા નું વિતરણ કરી વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી

વસિમ મેમણ / તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર આજે 20 માર્ચના દિવસે સમગ્ર દેશમાં વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલના સમયમાં જ્યારે જંગલો કપાઈ રહ્યા છે નદી નાળા અને તળાવ સુકાઈ રહ્યા છે કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે કોન્ક્રીટ ના જંગલો વચ્ચે પંખીઓ વિલુપ્ત થઈ રહ્યા છે ત્યારે ચકલીઓ પણ નામશેષ થતી જોવા મળી રહી છે ત્યારે આ ચકલીઓને બચાવવાના ઉદ્દેશ્ય સાથે આજે તિલકવાડા વન વિભાગ ના કર્મચારીઓ દ્વારા તિલકવાડા ખાતે વિનામૂલ્ય માટીના કુંડાનું વિતરણ કરી પોતાના ઘરની બહાર માટીના કુંડા બાંધી તેમાં પાણી રાખીને પંખીઓને બચાવવા માટે લોકો ને અપીલ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે હાલ આધુનિક સમયમાં જ્યારે વૃક્ષો કપાઈ રહ્યા છે જંગલો નો નાશ થઈ રહ્યો છે સખત ગરમી પડવાને કારણે નદી નાળા અને તળાવ સુકાઈ રહ્યા છે. ચારે બાજુ કોન્ક્રીટના જંગલ જોવા મળી રહ્યા છે જેના કારણે પંખીઓ નામસેસ થઈ રહ્યા છે ખાસ કરીને ચકલીઓ નામ સેસ થઈ રહી છે ચકલીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલા ઘટાળાનો મુખ્ય કારણ તેમને માળો બાંધવા માટે જગ્યા નો અભાવ / ખોરાકની ઉપલબ્ધતા માં ઘટાડો / ખેત ઉત્પાદનમાં થઈ રહેલા ઝેરી રસાયણોનો છંટકાવ સહિત અનેક કારણો ચકલીઓની ઘટતી સંખ્યામાં જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે આડેધડ વૃક્ષોનું નિકંદન અને શહેરી વિસ્તારમાં ઝડપથી વ્યાપ વધવાથિ અને ઓડિયો વીડિયો તરંગોના ઇલેક્ટ્રોનિક રેડીએશન પણ ચકલીના ઘટાડા માટે કારણ માનવામાં આવે છે ત્યારે આ પંખીઓને બચાવવાના ઉદ્દેશ્ય સાથે આજે તિલકવાડા વન વિભાગના કર્મચારીઓ દ્વારા તિલકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં લોકોના ઘરની બહાર માટીના કુંડાનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યા અને દરેકને ઘરની બહાર કુંડા બાંધી તેમાં પાણી નાખવા માટે અપીલ કરવામાં આવી જેથી પંખીઓને બચાવી શકાય અને આવનારી પેઢીઓ પંખીઓને જોઈ શકે તે માટે એક સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button