
આસીફ શેખ લુણાવાડા

સંતરામપુર તાલુકાની 55 વર્ષીય મહિલાને જેઠ તથા જેઠના ઘરના સભ્યો ડાકણ નો આરોપ લગાવતા મહીસાગર 181 ટીમ મદદરૂપ બની.
મહીસાગર 181 ટીમ ફરજ પર હાજર હતી તે દરમ્યાન સંતરામપુર તાલુકાના એક ગામડા માંથી 55 વર્ષીય મહિલાએ 181 પર ફોન કરી જણાવેલ કે જેઠ તથા જેઠના પરિવારના સભ્યો ડાકણ કહી ત્રાસ આપે છે આથી મદદની જરૂર છે મહીસાગર 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલા ને મળી વાતચીત કરતા જાણવા મળ્યું કે જેઠ તથા જેઠના ઘરના સભ્યો તેમને વારંવાર ડાકણ કહી માનસિક ત્રાસ આપે છે તથા તેમના ઘરે કોઈ પણ બીમાર પડે તો મારા પર આરોપ મૂકે છે કે તું મારા ઘરના માણસોને હેરાન કરે છે તથા બીમાર પાડે છે તેમ કહી ખરાબ શબ્દો તથા ગાળો બોલે છે અને ઘર સુધી માર ઝૂડ કરવા આવે છે મહિલાની હકીકત જાણી તેમના જેઠ તથા ઘરના અન્ય સભ્યો સાથે વાતચીત કરી સમજાવ્યા કે ડાકણ કહી આવી રીતે બદનામ કરવા નહીં તથા આવી અંધશ્રદ્ધામાં માનવું નહીં માણસ બીમાર પડે તો આ બધું ડાકણ કરે છે તેવું માની લેવાની જરૂર નથી તેના માટે સારી સારવાર ની જરૂર હોય છે હવે પછીથી મહિલાને કોઈપણ પ્રકારનો માનસિક ત્રાસ આપવો નહીં તો જેઠ તથા જેઠના ઘરના સભ્યો જણાવતા કે હવે કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરશું નહીં આથી મહિલાને કાયદાકીય પોલીસ સ્ટેશન ની માહિતી આપી અને જરૂર પડે તો બીજી વાર મદદ માગવી આથી મહિલાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.









