AMRELIRAJULA

રાજુલા એસટી ડેપોમાં બે નવી બસોનું લોકાર્પણ

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા શહેરમાં બે નવી એસ ટી બસ ફાળવવામાં આવતા લોકાર્પણ કરવામાં આવ્યું…
બે નવા રૂટમાં નવી બસ મળતા રાહતની લાગણી..

રાજુલા-ભાવનગર રૂટ માટે બે નવી બસો ફાળવવા માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ રજુઆત કરવામાં આવી હતી.જેના અનુસંધાને બે બસો ગુજરાત માર્ગ વાહન વ્યવહાર દ્વારા ફાળવવામાં આવી હતી તેનું લોકાર્પણ શનિવાર ૬/૧/૨૦૨૪ ના રોજ બપોરે ૧ વાગે એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એસટીના સલાહકાર સમિતિના સભ્યો પ્રવિણાબેન જાની ના હસ્તે કુમકુમ તિલક કરવા માં આવેલ રાજુલા ના દરેક શહેરીજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનોની હાજરીમાં લીલીઝંડી આપી આ ગાડી ને પ્રસ્થાન કરાવેલ
આ તકે રવુભાઇ ખુમાણ પરેશભાઈ લાડુમોર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષ વાળા ગૌરાંગભાઈ મહેતા કાનાભાઈ ગોહિલ કરશનભાઇ ભીલ હરસુરભાઈ લાખણોત્રા સાગરભાઇ સરવૈયા વિપુલભાઈ લહેરી
કાનાભાઈ ભરવાડ મહેશભાઈ ટાક
ઘેલાભાઈ ત્રિવેદી દિલીપભાઈ વોરા
વિક્રમભાઈ શિયાળ રાજેશભાઈ ઝાખરા બકુલભાઈ વોરા
કિશોરભાઈ રેણુકા મનુભાઈ ધાખડા જયંતીભાઈ જાની ભાવેશભાઈ ગુજરીયા ભરતભાઈ જોશી સહિતના શહેરીજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે રાજુલા ના ડેપો મેનેજર જોશી તેમજ ચંપુભાઇ ચાંદુ તેમજ ભરતભાઈ વરું .
કશુભાઈ ધાખડા.
જોરુભાઈ કોટીલા તેમજ હરેશભાઈ દોઢીયા
અયુબભાઈ સહિત નો સમગ્ર સ્ટાફ હાજર રહેલ આ તકે રવુભાઈ ખુમાણ એ લાંબા રૂટ ની ગાડી ઓ પણ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયાસ પણ કરવામાં આવશે તેવું જણાવેલ

[wptube id="1252022"]
Back to top button