GUJARATNANDODNARMADA

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન ખાતે યોજાયો સામુહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ

વર્ષના પહેલા સૂર્યકિરણની સાક્ષીએ સરદાર સાહેબના સાનિધ્યમાં સૂર્યનમસ્કાર……

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન ખાતે યોજાયો સામુહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

 

વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતમાં સામુહિક ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમ યોજાયો હતો. મોઢેરા ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમને જીવંત પ્રસારણ નિહાળી સૂર્ય નમસ્કારની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું. ઉપરાંત દેડિયાપાડા તાલુકાના ટીંબાપાડા ગામ સ્થિત ઈનરેકા સંસ્થાન ખાતે તેમજ આરોગ્ય વન ખાતે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મેહુલભાઈ માછીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો

આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે સૂર્યનમસ્કારની મહત્વતા સમજાવતા જણાવ્યું કે આ એક ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે જેને જાળવવાની આપણા સૌની ફરજ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ત્યારે ૧ લી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે ગુજરાતના ૧૦૮ આઇકોનીક સ્થળો સાથે નર્મદા જિલ્લાના ૩ સ્થળો સહિત નર્મદાના પવિત્ર વિસ્તાર અને સરદારના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો છે.

વધુમાં જણાવ્યું કે, સૂર્યનમસ્કાર થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે. અને શરીરના તમામ રોગો સામે રક્ષણ મળે છે. સાથે સૌને સૂર્યનમસ્કાર થકી સૌર ઊર્જા મળે છે.ડૉ. દર્શનાબેન દેશમુખે પ્રતિદિન ૧૦ મિનિટ સૂર્યનમસ્કાર કરવા સૌને આહવાન અપીલ કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button