BANASKANTHADEESA

સોની ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પૂજ્ય ગુરુમહારાજની નિશ્રામાં મેડલ તથા ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજાયો.

આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્યશ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સોની ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં મેડલ અને ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. પુજ્ય ગુરુમહારાજે બાળકોને જણાવ્યું હતું કે જો તમે ભવ્ય માનવકાર્ડના નિયમોનું નિયમન પાલન કરશો, તો તમે એક સારા માણસ અને સંસ્કારી માણસ બનશો. શાળાના વિદ્યાર્થીઓએ પૂજ્ય ગુરુ મહારાજ નું પ્રવચન સાંભળી ચા, સોપારી અને પડીકાનો ત્યાગ કર્યો છે દરેક બાળકે પોતાના ગામને વ્યસનમુક્ત તેમજ પોતાની શાળાને સંસ્કારશાળા બનાવવાનો સંકલ્પ કર્યો હતો

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button