BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિએશન દ્રારા આયોજિત સ્વ. કમલેશભાઈ જોશી મેમોરીયલ ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ 

2 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જ્ઞાન મંદિર સ્કૂલ, પાલનપુરના પટાંગણમાં બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિયેશન દ્રારા તા.31 ઓક્ટોબર 23 ના સ્વ. કમલેશભાઈ જોષીની યાદમાં ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. વિવિધ જિલ્લામાંથી કુલ 70 સ્પર્ધકોએ ભાગ લીધેલ જેમા, સિનિયર વિભાગમાં પ્રથમ ક્રમે ગીત ડાભી, બીજા ક્રમે સંગીત ડાભી અને ત્રીજા ક્રમે પ્રો.દલપતભાઈ પટેલ રહ્યા હતા જ્યારે જુનિયર વિભાગમાં પ્રથમ ક્રમે દર્શિલ સુતરિયા બીજા ક્રમે કવન પટેલ અને ત્રીજા ક્રમે વૈશ્વિ પટેલ રહ્યા હતા. તમામ વિજેતા ખેલાડીઓને એસોસિએશન તરફથી શિલ્ડ તથા સર્ટિફિકેટ અને સ્વ. કમલેશભાઈ જોષીના ધર્મપત્ની સુશ્રી પારુલબેન જોષીના પરિવાર તેમજ સૌથી નાની વયના જુનિયર બાળ સ્પર્ધકોને જ્ઞાન મંદિર સંસ્થાના સંચાલક શ્રી કનકભાઈ પંડ્યા તરફથી રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવેલ. આરબીટર તરીકે શ્રી વીનેશભાઈ પરમાર,શ્રી હરેશભાઇ ડાભી, શ્રી મનોજભાઈ ત્રિવેદી, શ્રી રાજુભાઇ ત્રિવેદી, શ્રી યોગેદ્રસિંહ બારડ અને શ્રી જયેશભાઇ પરમારે ખૂબ સુંદર કામગીરી બજાવી હતી. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ સ્પર્ધક તરીકે ભાગ લઈ સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. દરેક વિજેતા ખેલાડીઓને અને તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને માનવંતા મહેમાનશ્રીઓ પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, ડો.સુરેન્દ્ર ગુપ્તા, ડો. અનિલભાઈ ત્રિવેદી, વકીલ શ્રી એસ.એસ.ઠાકર, વકીલ શ્રી મનીષભાઈ ઠાકર, શ્રી કનકભાઈ પંડ્યા અને સુશ્રી પારુલબેન જોષીના પરિવાર દ્રારા ઇનામ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ચેસ એસોસિએશનના પ્રમુખ શ્રી વીનેશભાઈ પરમાર અને સંસ્થાના હોદ્દેદારશ્રીઓએ કરેલ.

[wptube id="1252022"]
Back to top button