AHAVADANGGUJARAT

આહવા તાલુકાનાં ગારમાળ ગામનાં માછલી ઉછેર તલાવડીમાં એક સગીરનું ડૂબી જવાથી મોંત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર ઉદેસિંગ કાલુભાઈ ગામીત ઉ.15 રે.જામનકુવા ગામીત ફળીયુ તા.માંડવી સુરત જેઓ ગતરોજ સુગર ફેકટરીમાં મજૂર ભરી જતી ટ્રકનાં ડ્રાઈવર સાથે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગારમાળ ગામે આવ્યા હતા.જ્યાંથી તેઓ ગારમાળ ગામની સીમમાં આવેલ માછલી ઉછેર તલાવડી ખાતે ન્હાવા માટે ગયો હતો.જ્યાં આ સગીરનું ડૂબી જવાથી મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકે થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.હાલમાં સાપુતારા પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

તસ્વીર -પ્રતીકાત્મક

[wptube id="1252022"]
Back to top button