
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત સમગ્ર ગુજરાત સહિત ૨૫-નવસારી સંસદીય બેઠક પર આગામી તા.૭ મે ના રોજ મતદાન થનાર છે. આજે ઉમેદવારી પત્ર પાછી ખેચવાના દિને કુલ-૦૫ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવામાં આવ્યા છે. આમ, ૨૫ નવસારી સંસદીય મત વિભાગમાં કુલ-૧૪ ઉમેદવારો આગામી લોકસભા ચૂંટણી લડશે. જે ૧૪ ઉમેદવારોના નામ આ પ્રમાણે છે.
(1) નૈષધભાઈ ભૂપતભાઈ દેસાઈ ( ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)
(2) સી.આર.પાટીલ (ભારતીય જનતા પાર્ટી)
(3) મલખાન રામકિશોર વર્મા (બહુજન સમાજ પાર્ટી)
(4) ડૉ.કનુભાઇ ટપુભાઇ ખડદીયા (સોશ્યિલીસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા)-કમ્યુનિસ્ટ
(5) કાદિર મહેબૂબ સૈયદ (સોશ્યલ ડેમોક્રિટિક પાર્ટી ઓફ ઇન્ડિયા)
(6) મોહમ્મદ હનીફ શાહ (ગરીબ કલ્યાણ પક્ષ)
(7) રમઝાન ભીલુભાઇ મંસૂરી (લોગપાર્ટી)
(8) સુમનબેન રવિભાઇ ખુશવાહ (સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી)
(9) કાઝી અયાઝ હુસ્નૂદીન (અપક્ષ)
(10) ચંદનસિંહ શિવબદનસિંહ ઠાકુર (અપક્ષ)
(11) નવીનકુમાર શંકરભાઇ પટેલ –(અપક્ષ)
(12) શેખ મોહમ્મદ નિસારશેખ –(અપક્ષ)
(13) રાજુ ભીમરાવ વારડે –અપક્ષ
(14) કિરિટ લાલુભાઇ સુરતી (અપક્ષ)









