AHAVADANGGUJARAT

આપનાં નેતા ચૈતર વસાવા સામે થયેલ એફ.આઈ.આરનાં વિરોધમાં ડાંગ કલેકટરને આવેદનપત્ર અપાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની આમ આદમી પાર્ટી દ્વારા આપનાં નેતા ચૈતર વસાવા સામે થયેલ એફ.આઈ.આરનાં વિરોધમાં મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ…

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજનાં લોકપ્રિય યુવા નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગનાં કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.તેનો ડાંગ આપ પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કર્યો છે.આ સમગ્ર ઘટનાને ધ્યાને લેવામાં આવે તો વન વિભાગે વન અધિકાર કાયદો 2006 હેઠળ માલિકીની સનદ મળેલ છે.એવા ખેડૂતોની જમીનમાં ઉભા કપાસનાં પાકને જંગલ વિભાગનાં કર્મચારીઓએ કાપી નાખ્યો હતો.અને તે વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજુઆત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પાસે આવી હતી.અને ચૈતરભાઈ વસાવાએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો હતો.અને સમાધાન રૂપે રાજીખુશીથી બન્ને પક્ષે નક્કી થયુ હતું કે, જંગલ વિભાગના કમર્ચારીઓએ શરતચુક કે અન્ય જે કોઈ કારણથી ખેડૂતોને નુકશાન કર્યું છે તે ભરપાઈ કરી આપે અને સામે ખેડૂતો એમની ઉપર કોઈ કાનૂની પગલાં નહિ ભરે.જંગલ વિભાગના કમર્ચારીઓએ નુક્શાનની સહમતીથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માની આખરી સમાધાન કરવામાં આવ્યું હતુ. પરંતુ પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણથી કે કાવતરાના ભાગ રૂપે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી જે રકમ સહમતીથી નુક્શાનની ભરપાઈ તરીકે ચૂકવાઈ હતી તેને બળજબરીથી લેવાયેલી ‘ખંડણી’ તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી હતી.અને પોલીસે  ચૈતરભાઈ વસાવા, એમના પત્ની અને અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવ્યા છે.આ આખી ઘટના, ચૈતરભાઈ વસાવા જે રીતે લોકપ્રતિનિધિ તરીકે સક્રિય છે, નર્મદા પૂરની માનવ-સર્જિત આફત વખતે એમણે જે રીતે લોકોના પડખે ઉભા રહી સેવાઓ આપી અને નાનામાં નાના લોકોના પ્રશ્નો જે રીતે ઉઠાવે છે એની ઈર્ષાથી ઉભી થઇ હોય એવું દેખાય છે.અથવા, ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવાની સક્રિયતાથી સ્થાનકી વહીવટી તંત્રના ભ્રસ્ટાચાર અને ગેરરીતિઓ ઉપર જે અંકુશ આવ્યો છે, નાના મોટા રાજકીય આગેવાનોની કારકિર્દી જોખમાઈ છે તેવા લોકોએ ઉપજાવેલુ આ ષડયંત્ર દેખાય છે.જે બાબતે એ રાજ્યના વડા તરીકે તાત્કાલિક દરમ્યાનગીરી કરી મામલાની ન્યાયિક તપાસ કરાવવામાં આવે અને ત્યાં સુધી ધરપકડો ઉપર રોક લગાવવા રજૂઆત કરી હતી.ઉપરાંત જે રીતે આયોજનબદ્ધ આખો મામલો ઉપજાવવામાં આવ્યો છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પૂર્વ પટ્ટીના આદિવાસી સમાજમાં મહત્વનો મુદ્દો બનશે તેમ જણાવેલ છે વધુમાં આ માત્ર ચૈતરભાઈ વસાવાને નથી ફસાવાઈ રહ્યા, ગુજરાતના વંચિત આદિવસી સમાજને ખોટી રીતે ચીતરવામાં આવી રહ્યો છે, બદનામ અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડશે. અગર આ બાબતે તાત્કાલિક હકારાત્મક પગલા લેવામાં આવશે નહીં તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા આપવામાં આવી છે..

[wptube id="1252022"]
Back to top button