NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા મતદાન જાગૃત્તા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આગામી  લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકોમાં વધુમાં વધુ જાગૃત્તા આવે તે હેતુથી નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળે મતદાન જાગૃત્તા માટેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ જાગૃત્તા અભિયાન હેઠળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના પ્રગતિ એજયુકેશન સેન્ટર ખાતે ચિત્રકળા સ્પર્ધા તથા નવસારી તાલુકાના એ ટુ ઝેડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે ચિત્રકળા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં યુવાઓએ મતદાનની મહત્વતા, મતદારના અધિકારો તથા ફરજો, મતદાનની પ્રક્રિયા અને મતદાનની ચુનૌતી જેવા વિષયો પર કલા રજુ કરી હતી. આ સાથે મતદાનની મહત્વતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મતદાન કરવા માટે લોકોએ  શપથ  લઈ જાગૃત્તા કાર્યક્રમ ભાગ લીધો હતો .

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button