GUJARATJUNAGADHMANGROL

માંગરોળના માનખેત્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરતા ગ્રામજનો

યોજનાકિય લાભોના વિતરણ સાથે ડ્રોન નિદર્શન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : માંગરોળના માનખેત્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સર્વ દેવાભાઈ માલમ અને ભગવાનજીભાઈ કરગઠીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની લોકોને જાણકારી આપવાની સાથે તેના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
નેનો યુરિયાના છંટકાવ માટેના ડ્રોનનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનોએ હેલ્થ કેમ્પના માધ્યમથી ટીબી સ્ક્રિનિંગ સહિતની આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો.
ધરતી કહે પુકાર કે નાટકના માધ્યમથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
નલ સે જલ યોજનાના સફળ અમલીકરણ માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. અંતમાં ગ્રામજનો વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા સંકલ્પબદ્ધ થયા હતા.
આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારી, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button