GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ચક્કર ખત્રીકુવા આનંદપુરા ચોકડી તરફ જતા રોડ ઉપર વધતા જતા કૂતરાઓ નો ત્રાસ

વિજાપુર ચક્કર ખત્રીકુવા આનંદપુરા ચોકડી તરફ જતા રોડ ઉપર વધતા જતા કૂતરાઓ નો ત્રાસ
કોંગ્રેસ શહેર પ્રમુખે કરી પાલિકામાં રજૂઆત
વિજાપુર તા
વિજાપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર આડેધડ વધારો થઇ રહેલા કૂતરાઓએ ત્રાસ ફેલાવ્યો છે રાત્રીના સમયે કે પછી બપોરના જાહેર માર્ગના વચ્ચે આવી જતા હોવાને કારણે ગંભીર અકસ્માત નો બનાવો બને તેવી શક્યતાઓ ઉભી થઇ છે તો શાળાઓમાં જતા નાના બાળકો ને પણ કરડી જવાનો ભય રહે છે જેને લઇને કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા નગરપાલિકા માં લેખીત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ હતુંકે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરાઓનો ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે જેના કારણે રાત્રીના દિવસે ત્રાસ વધી રહ્યો છે તો રોડ ઉપર કૂતરાઓ આવી જતા અવર જવર કરતા વાહન ચાલકો પણ પરેશાની માં મૂકાઈ જતા હોય છે તો સત્વરે વધી રહેલા કૂતરાઓનો નિકાલ કરવા ચીફ ઓફિસર તેમજ વહીવટદાર ને લેખીત માં રજૂઆત કરવામાં આવી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button