BHUJKUTCH

કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક 4.2ની તીવ્રતાનો ધરતીકંપ

સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન નં.૫માં આવતા કચ્છના ખાવડા પંથક ૪.૨ની તીવ્રતાના ભૂકંપથી ખળભળી ઉઠયો હતો. ખાવડા પંથકમાં લાંબા સમય બાદ આટલી તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય રીતે કચ્છમાં કેએમએફ કહેવાતી ફોલ્ટલાઈન સક્રિય હોય જમીનમાં ઉંડાઈએ ભૂકંપના તીવ્ર આંચકા સામાન્ય રીતે આવતા હોય છે પરંતુ, આ ભૂકંપ ઉપરી સપાટીએ નોંધાયો છે.

સીસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટીટયુટમાં મધરાત્રે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ૨૪.૧૯૧ અક્ષાંસ અને ૬૯.૭૯૨ રેખાંશ પર ભારત-પાકિસ્તાન સરહદ નજીક ,ખાવડાથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશા તરફ ધ્રોબાણાથી આગળ જતા ભેડીયાબેટ હનુમાન મંદિર પાસે, કચ્છના રણમાં આવેલા તળાવ નજીક નોંધાયેલ છે.

ખાવડા પંથકમાં આ પહેલા ગત તા.૯ મેના ૨.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે કચ્છમાં આ પહેલા દુધઈ વિસ્તારમાં તા.૩૦ જાન્યુઆરીએ આટલી જ તીવ્રતા ૪.૨નો ભૂકંપ નોંધાયો હતો. જો કે તે ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૨૫.૫ કિ.મી. ઉંડાઈએ હતું ત્યારે આજના ભૂકંપનું કેન્દ્રબિંદુ માત્ર ૧૩૦૦ મીટર (૧.૩ કિ.મી.) ઉંડાઈએ નોંધાયું છે.

[wptube id="1252022"]
Back to top button