BANASKANTHAGUJARATTHARAD

સંત શ્રી જામનાથ ગુરુકુળ આશ્રમ કોટડા ખાતે તિથિ ભોજન અપાયું

10 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

લાખણી તાલુકામાં કોટડા ગામે ચાલતી સંત શ્રી જામનાથ ગુરુકુળ સ્કુલ માં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. જેમાં પરમાર સ્વ વાલજી ભાઈ હેમાભાઈ જેલાણા ની 26મી પુણ્યતિથી નિમિત્તે 9 થી 12 ધોરણ ના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. તિથિ ભોજન માં મોહનથાળ, સેવ તેમજ શાક રોટલી તેમજ દાળભાત આપવામાં આવ્યા. જેમાં પરમ પૂજ્ય સંત શ્રી જામનથ બાપુ તેમજ સોલંકી માધા ભાઈ ભરતભાઈ સોલંકી, હિતેશભાઈ પરમાર અશોકભાઈ મીનાબેન, આસ્થાબેન માહિરભાઈ તેમજ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button