GUJARAT

વિજાપુર ક્ષત્રીય રાજપુત સમાજના યુવકોએ પુરુષોત્તમ રૂપાલાના વાણીવિલાસ મુદ્દે મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું

oppo_0
વિજાપુર ક્ષત્રીય રાજપુત સમાજના યુવકોએ પુરુષોત્તમ રૂપાલાના વાણીવિલાસ મુદ્દે મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ક્ષત્રીય રાજપુત સમાજના યુવકો એ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રીય વિરુધ્ધ વાણી વિલાસ બેફામ ઉચ્ચારણો ટીપ્પણી ઓનો વિરોધ દર્શાવતા રેલી કાઢી મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કરી રાજકોટ ખાતે ભાજપ પક્ષ દ્વારા આપવામાં આવેલ ટીકીટ પાછી ખેંચે અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રાજપુત સમાજના યુવકોએ કરી હતી આ અંગે સમાજ આગેવાન રાજભા ચાવડા ,ઇન્દ્રસિંહ વિહોલ, કરણ સિંહ વિહોલ સહીતે જણાવ્યું હતુ કે પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય રાજપુત સમાજ સમાજને અશોભનીય કરેલી ટિપ્પણી ને વખોડી કાઢીએ છીએ અને ભાજપ પક્ષ ના અધ્યક્ષ ને વિનંતી કરીએ છીએ કે બેફામ વાણી વિલાસ અને ઉચ્ચારણો કરતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ પરત ખેંચે અને પક્ષ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે. ભાજપ પક્ષ કે વડાપ્રધાન કે ગૃહપ્રધાન સામે આ અમારી લડત નથી ફક્ત રૂપાલા સામે કાર્યવાહી કરી તેમની ઉમેદવારી પાછી ખેંચી કોઈ પણ સ્થાને ચૂંટણી નહીં લડવા દેવા માટે માંગ છે. જો આ બાબત ભાજપ પક્ષ કોઈ કાર્યવાહી નહિ કરે તો પક્ષ ની મુક્ત સંમતિ છે તેમ જાણી અમારી લડત ચાલુ રાખીશું તેવી ચીમકીઉચ્ચારવામા આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button