BANASKANTHADHANERAGUJARAT

ધાનેરા પાથાવાડા હાઇવે ઉપરથી અજાણી વ્યક્તિની લાશ મળી આવી

વાત્સલ્ય સમાચાર.
રિપોર્ટર કાળાભાઈ ચૌધરી
પાંથાવાડા પોલીસ મથક હદના ધાનેરા ખીમત હાઈવે રોડની સાઈડ પરથી યુવકની લાશ મળી આવી હતી. ધાનેરાના ભોળાભાઈ શાંતિભાઈ ભેટોર (ઉ વ. આશરે ૩૭) નામનો યુવક ગત રાત્રિના સમયે ઘરેથી જમીને નીકળેલ પણ અચાનક ગુમ થઈ ગયો હતો.
જેની પરિવાર જનોએ શોધખોળ હાથ ધરી હતી.જેમને સોશિયલ મીડિયાના માધ્યમથી લાશની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. યુવક છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારી ધરાવતો હોવાનુ પરિવારે જણાવ્યું હતુ.પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવાર જનોને મૃતદેહ સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button