SURATSURAT CITY / TALUKO

હિન્દુઓ ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવા બે કે ત્રણ દીકરા દીકરી પેદા કરો : હરિપ્રકાશ સ્વામી

ઉત્રાણ સ્થિત તાપી નદીના કિનારે ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસ યુવા કથાનો છઠ્ઠો દિવસે 70 હજારથી વધુ ભક્તો ઉમટ્યા હતાં. ત્યારે કથા પહેલાં યુવતીઓ અને મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સનો સેમીનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યમાં યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. આ પછી સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સમુહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરત પોલીસ કમિશનરે સ્ટેજ પર શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી કરી હતી.

કથાની શરૂઆત પહેલાં સુરત પોલીસ કમિશનરે સ્ટેજ પર સંબોધન આપતાં કહ્યું કે, ”16 કરોડથી વધુનું ડ્રગ્સ સુરત પોલીસે પકડ્યું છે. આ ડ્રગ્સ ના પકડાયું હોય તો યુવાધન બરબાદ થાત. સપ્ટેમ્બર 2020થી ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કર્યું છે. ડ્રગ્સને લીધે યુવાનો અને પરિવાર પણ બરબાદ થાય છે.” મહત્ત્વનું છે કે, આ પછી સુરતના એસીપી વાય. એ. ગોહિલે સ્ટેજ પર સાયબર ક્રાઈમનો ફોર્ડ અંગેની જાગૃતિનો સંદેશો આપ્યો.

હનુમાન ચરિત્ર કથાનું રસપાન કરાવતાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ યુવાઓમાં વધતાં ડ્રગ્સ અને વિદેશી કલ્ચરના અનુકરણ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ”ફેશનનો પ્રભાવ નથી પડતો હંમેશા માત્ર ચરિત્રનો પ્રભાવ પડે છે.” આ સાથે હરિપ્રકાશ સ્વામીએ રાષ્ટ્રહિતની વાત કરતાં એવું પણ કહ્યું હતું કે, ”જેને ભારત માતા કી જય અને વંદે માતરમ્ બોલવામાં તકલીફ હોય તેને ભારતમાં રહેવાનો શું અધિકાર? તમામ હિન્દુઓને વિનંતી કે, ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવા બે કે ત્રણ દીકરાને દીકરી હોવા જ જોઈએ.”

[wptube id="1252022"]
Back to top button